URGENT MESSAGE
Kindly note that Our www.nundhatad.org new design work is going on.
In the given site, there may be formating error.
All the pending details will be available in shortly.
You are requested to kindly bear with us.
Thanking you.
Search This Blog
PADHARO MHARE DESH
Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program
NUN GAURAV IMAGE DEMO
Friday, August 21, 2009
HEART SURGERY (for children) - FREE OF COST
This is done at Sri Sathya Sai Institute Of Higher Medical Sciences, E.P.I.P. Area, WhiteField, Bengalore, India
Children who are having heart problems, those parents who could't afford for their children's operation, please pass on this email it mightbe help somebody.
For any kind of heart surgery for children - free of cost ..
Write to us:
Sri Sathya Sai Institute of Higher Medical Sciences
EPIP Area, Whitefield,
Bangalore 560 066,
Karnataka, INDIA.
Call us :
Telephone: +91- 080- 28411500
Fax +91 - 080- 28411502
Employment related +91- 080- 28411500 Ext. 415
Email us: General Queries: adminblr@sssihms. Org.in
Pass it to all, it will help some one
Tuesday, August 11, 2009
Thursday, July 23, 2009
Sunday, November 23, 2008
ડાયાબિટીસ - આ મીઠા રોગથી બચીએ
આજે લોકોની દોડધામભરી જિંદગી, તણાવ, બદલાયેલી ખાણીપીણીની શૈલી, બેઠાળુ જીવન, કસરતનો અભાવ, વારસાગત વગેરેના કારણે આખા વિશ્વમાં ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. તેના પરિણામે લોકોમાં જાગૃતિ આવે, અને માર્ગદર્શન મળે તે હેતુથી સમગ્ર વિશ્વમાં ૧૪મી નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જે લોકો અને ખાસ કરીને બાળકોને ડાયાબિટીસની દવાઓ, ઈન્સ્યુલિનના ઈન્જેક્શન વગેરે પૂરા પાડવામાં આવે છે. આ દિવસે બધા દેશોના આરોગ્યમંત્રીઓની વિશ્વ કક્ષાની એક બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેનો હેતુ જે લોકો આ ક્રોનિક રોગથી પીડાતા હોય તેમને મદદરૃપ થવાનો છે. આજે પરિસ્થિતિ પલટાઈ છે. આખા વિશ્વમાં દરરોજ ૨૦૦ બાળકો ડાયાબિટીસના રોગનો ભોગ બને છે. ભારતમાં પણ ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો આવ્યો છે. આ અંગે હવે ખાસ કરીને નાના બાળકો- જે પ્રિ-નર્સરી, પ્રિ-સ્કૂલમાં જતાં બાળકો વધુ ભોગ બને છે અને તેની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આજે ૫૫,૦૦૦ કરતાં પણ વધુ બાળકો આ રોગનો ભોગ બન્યાં છે. જેમાંના મોટાભાગનાં વિકસિત દેશોનાં અને ઓછી તથા મધ્યમ આવકનાં બાળકો ભોગ બને છે. મોટા ભાગના કિસ્સાઓમાં જે બાળકોને ડાયાબિટીસનું નિદાન થાય છે તે થોડા જ વર્ષોમાં મૃત્યુ પામે છે. આ બાબત ઘણી ચિંતાજનક છે. ભારત ઉપરાંત ચીનમાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધુ છે.
ભારતમાં પણ આશરે ૩.૫૦ કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે. ઘણાં તો ભારતને આ રોગનું પાટનગર અથવા તો ડાયાબિટીસનું દ્વાર કહે છે. દેશને પ્રગતિની સાથે સાથે ડાયાબિટીસ પણ ભેટમાં મળી રહ્યો છે કારણ કે સ્ટ્રેસનાં કારણે, મેદસ્વીપણું અને બેઠાળુ જીવનનાં કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે દેશોમાં પ્રગતિ થઈ છે ત્યાં લોકોમાં સ્ટ્રેસ, પ્રમાદીપણું, આળસુપણું, વગેરે વધુ જોવા મળ્યાં છે. લોકોની ખાનપાનની શૈલી બદલાઈ છે. આ બધાની અસરનાં કારણે પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધે છે.
લક્ષણો :- આ રોગમાં દર્દીઓને પેશાબ વધુ થવો, વજનમાં ઘટાડો થવો, દર્દીને વધારે થાક લાગે, દર્દીની પીંડી દુઃખે, પગમાં દુઃખાવો થાય, ભૂખ વધુ લાગે, માથું દુઃખવાની ફરિયાદ કરે, આંખોમાં ઝાંખપ આવવી, ધૂંધળુ દેખાવું, નબળી પડવી વગેરે લક્ષણો જોવા મળે છે.
કારણો :- ડાયાબિટીસ થવાનાં અનેક કારણો છે. જેમાં દર્દીને વારસાગત બીમારી મળે, અંતઃસ્ત્રાવી ગ્રંથિના કારણે હોર્મોન્સમાં થતા ફેરફારોને લીધે, અતિ મેદસ્વીપણું, દર્દીનું બેઠાળુ જીવન, પ્રમાદી અને આળસ, માનસિક વ્યગ્રતા, સતત ગળ્યું ખાવું, નાનપણમાં વધુ ગળ્યો આહાર લેવો વગેરેનાં કારણે દર્દી આ અંગેનો ભોગ બને છે.
અટકાવવાના ઉપાયો :-
* દર્દીએ વજન ઘટાડવું.
* બાળકોને ગળ્યા પદાર્થોથી દૂર રાખવા.
* વ્યાયામ અને કસરતને સ્થાન આપવું.
* નાના બાળકને એક વર્ષ સુધી બહારનું દૂધ ન આપવું.
આ ઉપરાંત ફળ, શાકભાજીનાં રસ, સલાડ, વગેરે લેવા. આવા દર્દીઓએ હંમેશા ખુશ રહેવું. તણાવમાં ન રહેવું. ભોજન લીધા પછી પરિશ્રમ ન કરવો પણ થોડો આરામ કરવો. આઈસક્રીમ, તળેલાં પદાર્થો, ઘી-ચીઝ વગેરે ન લેવા.
આપણા દેશમાં આ રોગની ખતરનાક અસર છે. તેને સાઇલન્ટ ક્લિર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં દર સેકંડે એક વ્યક્તિ આ રોગથી મરણ પામે છે.
આ હવે રાજરોગ રહ્યો નથી. નાના બાળકથી માંડીને કોઈને પણ રોગ થઈ શકે છે. રાજા-રંક, નાના-મોટાં સહુ આ રોગનો શિકાર બને છે.
દર્દી જો શુગરને નિયંત્રણમાં રાખે તો તે લાંબુ આયુષ્ય જીવી શકે છે. તેની સાથે તેણે જીભ પર કંટ્રોલ રાખવો. રોજના ત્રણથી ચાર કિ.મી. ચાલવું, કારેલા, મેથીનો રસ પીવો. તેનાથી શુગર કાબૂમાં રહેશે અને રોગને કાબૂમાં રાખી શકાશે.
આ રોગના દર્દીએ જખમથી બચવું. એકવાર ઘા કે ઈજા થાય તો સહેલાઈથી રૃઝ આવતી નથી. તેના પરિણામે તે અંગ સડી જતા કાઢી નાખવાની શક્યતા વધે છે અને દર્દી મૃત્યુ પામે છે. ડાયાબિટીસ વધતા કિડની ફેઈલ થવાની શક્યતા રહે છે. દર્દી કોમામાં પણ જતો રહે છે.
આમ ભારતમાં આ રોગનો ફેલાવો જોતાં તેને નિયંત્રણમાં રાખવા સંયમિત જીવન જીવવું. કસરત કરવી, વ્યાયામ કરવો અને રોજનાં ત્રણથી ચાર કિ.મી. ચાલવાથી આ રોગને કાબૂમાં રાખી શકાય છે.
Thursday, November 20, 2008
ગુસ્સો કાબૂમાં નથી રહેતો?
ઘણી વ્યકિત ગુસ્સામાં બીજી વ્યકિતને અપમાનિત કરતી હોય છે અથવા ઘરની ચીજવસ્તુઓ ફેંકતી કે શારીરિક હાનિ પહોંચાડતી જોવા મળે છે. ક્ષમા નામની આધુનિક યુવતી ગુસ્સામાં પોતાને લાફા મારતી. પુરુષોત્તમદાસ નામના આધેડ વ્યકિત ગુસ્સો વ્યકત ન કરી શકવાને કારણે પોતાના શરીર ઉપર સિગારેટના ડામ દેતા. ગુસ્સો મોટી વ્યકિતને જ આવે એવું નથી હોતું, ચાર વર્ષના કહાન શાહને ગુસ્સો આવે ત્યારે ઘરની વસ્તુઓ બારીમાંથી બહાર ફેંકી દેતો. રસોડામાં જઇને બરણીઓ ખોલીને જમીન પર ખાલી કરી દેતો, ગેસ ચાલુ કરીને રૂમમાં ભાગી જતો અને સ્કૂલમાં તો અચૂક મારામારી કરીને ઘરે આવતો. તેના માતાપિતા તેનું આવું વર્તન જોઇને ડઘાઇ જ ગયા હતા. આવા અનેક કિસ્સાઓ છે. વધુ પડતો, વારંવાર આવતો ગુસ્સો વ્યકિતની માનસિકતા ઉપર આડઅસર કરે છે. સામાજિક અને પારિવારિક સંબંધોને બગાડી નાખે છે. ગુસ્સાથી માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. બ્લડ પ્રેશર વધી જાય છે. નસો પહોળી થઇ જાય છે. જયારે વ્યકિતને સખત ગુસ્સો આવે ત્યારે શરીરમાં એપિનોટ્રિન અને નારિએપિનોરિન હોર્મોન્સની માત્રા વધી જાય છે. એના કારણે લોહીના નૈસર્ગિક ભ્રમણમાં અંતરાય સર્જાય છે. લોહીની ભ્રમણ ક્રિયા પણ પ્રભાવિત થાય છે.
કોઇ પણ વ્યકિત જન્મથી ગુસ્સાવાળી નથી હોતી, પરંતુ આસપાસનું વાતાવરણ તેના માનસિક સ્તર પર ઊડી અસર કરી જતું હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે ક્રોધી સ્વભાવના લોકોમાં હાર્ટ એટેકની સંભાવના ત્રણ ગણી વધી જાય છે. ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ક્રોધી સ્વભાવના માણસમાં મેકોલેસ્ટ્રોલ જજ અને ટ્રાઇગલા સેરાઇડ્ઝનો સ્તર ઊચો થઇ જાય છે.
ગુસ્સાને તરત પ્રગટ કરી દેવો એ સારી વાત છે પણ કેટલાક લોકો ગુસ્સાને દબાવીને રાખે છે. ગુસ્સાને દબાવી દેનારી વ્યકિતના હૃદયના ધબકારાની ગતિ અનિયમિત થઇ જાય છે જેથી બ્લડ પ્રેશર વધે છે. ગુસ્સો એ માનવ સ્વભાવ સાથે જોડાયેલો એક પ્રકારનો ભાવ છે, પરંતુ ગુસ્સાને કેવી રીતે વ્યકત કરવો એ દરેક માણસની પ્રકતિ ઉપર આધાર રાખે છે. જેમ કે ઘણી વ્યકિતઓને ગુસ્સો આવે ત્યારે તે અંતર્મુખી બની જાય છે. તો અમુક વ્યકિત પોતાને કાર્યમાં વ્યસ્ત રાખે તો ઘણી વ્યકિતઓ એકાંત પસંદ કરતા હોય છે.
ગુસ્સાને કાબૂમાં લેવાનું બહુ અઘરું નથી, પરંતુ થોડી મહેનતનું કામ છે. જયારે સખત ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલાં એ ગુસ્સાનું કારણ શોધો. પછી ગુસ્સો વ્યકત કરવાને બદલે શાંતિપૂર્વક તમારા વિચારો બીજાને જણાવો. તમને ગુસ્સો આવ્યો છે તે બીજી વ્યકિતને શાંતિથી જણાવો.
ગુસ્સો આવે એ ક્ષણે મનમાં ‘ઓમ્’ બોલો અથવા ઇશ્વરનું સ્મરણ કરવું. ‘હું રિલેકસ થઇ રહી છું.’, ‘હું શાંત છું.’, ‘મારો ગુસ્સો શાંત થઇ રહ્યો છે.’ તેમ મનમાં ને મનમાં શાંત ભાવથી બોલવું.
બીજી વ્યકિત જયારે ગુસ્સો કરતી હોય અથવા ગુસ્સો આવતો હોય ત્યારે તેને પોતાની બાજુમાં બેસાડીને તેની પીઠ પર પ્રેમપૂર્વક હાથ ફેરવો અને ‘રિલેકસ’, ‘રિલેકસ’ ત્રણ-પાંચ વાર કહેવું. નાનું બાળક હોય તો બાથમાં ભીડી લેવું.
થોડા જ દિવસોમાં તમે પોતે અનુભવશો કે ગુસ્સા ઉપર તમે કાબૂ મેળવી રહ્યા છો. ગુસ્સો આવે ત્યારે ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચો અને ધીમે ધીમેથી શ્વાસને છોડવો. તે દરમિયાન એ પણ વિચારો કે શ્વાસની સાથોસાથ ગુસ્સો પણ મનમાંથી નીકળી રહ્યો છે. કાર્ય અથવા વિચાર બદલી નાખવાની કોશિશ કરવી. બાકીના સમયમાં હકારાત્મક ભાવ અને વિચાર રાખવા. તેમ છતાં ગુસ્સો ઓછો ન થાય તો ડોકટરની સલાહ લેવી.
શિયાળામાં પરેશાન કરતી શરદી
સારવાર
શરદીના પ્રથમ ચિહ્નના તેમજ તીવ્ર હુમલામાં ગરમપાદ સ્નાન ખૂબ જ ઉપયોગી છે.
સવાર- સાંજ બે વખત ગરમપાણીમાં નીલગિરિનાં પાન અથવા બીજ નાખીને માથે ઓઢી નાસ લેવો જોઈએ.
હળદર અને સૂંઠ નાખેલું ગરમ દૂધ પીવું.
ત્રિભુવન કીર્તિરસ, શંગભષ્મ, ગોદૃન્તીભસ્મ, અભ્રકભસ્મ, વાસાવલેહ, સિતોપલાદી ચૂર્ણ, યષ્ટીમધુ ચૂર્ણ, સુતશેખર રસ વગેરેમાંથી કોઈ એક પ્રતિશ્યાયહર યોગનું આયુર્વેદિક ડોકટરની સલાહ મુજબ સેવન કરવું. સાથોસાથ ષડબિંદુ તેલનું નષ્ય લેવું.
કાયમી શરદી રહેતી હોય તેમણે ખાસ પ્રતિશ્યાયહર યોગની સાથે સાથે નાકમાં ષડબિંદુ તેલ, દિવેલ કોઈ એકનું બંને નસકોરામાં ટીપાં નાખવાં.
પાંચ તુલસીનાં પાન અને બે દાણા મરીના વાટીને ચાવી જવા.
શરીરને ઠંડો પવન લાગવા ન દેવો, ગરમી અથવા તડકામાંથી આવી તરત પંખાની હવા નીચે ના બેસવું. રાત્રિ જાગરણ ના કરવું.
શરદીનાં કારણે માથાનો દુખાવો સતત રહેતો હોય તો પથ્યાદિકવાથ આશીર્વાદરૂપ અકસીર ઇલાજ છે.
આહારમાં ઠંડા પદાર્થો, તીખું, તેલવાળું, કેળા, છાશ, દહીં ના ખાવું. પપૈયાનું શાક, સરગવાની સીંગ, મેથીની ભાજી, સુવાની ભાજી, પરવળ, કારેલાં, દૂધી લઈ શકાય. જયારે પણ તરસ લાગે ત્યારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ પીવું.
કાયમી શરદીમાં શરૂઆતમાં ઉપવાસ, વરાળ, સ્નાન, નસ્યકર્મ અને પ્રતિશ્યાય હરયોગોનું વિધિવત્ સેવન કરવાથી મટાડી શકાય છે.
આમ, શરદીનાં લક્ષણો જણાય કે તરત જ ઔષધોપચાર કરી દેવાથી શરદીને કાબૂમાં રાખી શકાય છેDr. Prarthana Mehta
