-૧૦ નવી ડુરંટો ટ્રેન સહિત ૫૪ નવી ટ્રેન દોડાવાશે
-૧૬ રૂટ પર ‘ભારતતીર્થ’ ટ્રેન શરૂ કરાશે
-ટાગોરની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સંસ્કતિ એક્સપ્રેસ શરૂ કરાશે
-મુંબઈમાં ૧૦૧ લોકલ ટ્રેનો શરૂ કરાશે
-૨૦૧૦-૧૧માં ૧૦૨૧ કિમી રેલવે લાઈન નખાશે
-મુસાફરોની સુવિધા માટે રૂ. ૧૩૦૨ કરોડ ખર્ચાશે
-૧૦૦ દિવસના ગાળામાં ખાનગીક્ષેત્રના રોકાણને મંજૂરી માટે વિશેષ દળ ઊભું કરાશે
-વધુ ૧૦ સ્ટેશનોને વિશ્વકક્ષાના બનાવાશે
-૬ નવા વોટર બોટલિંગ પ્લાન્ટ ઊભા કરાશે
-રિઝર્વેશનની સ્થિતિ, ટ્રેનના સમયપત્રક અને વેગનની મૂવમેન્ટ જાણવા એસએમએસ અપડેટ્સની સુવિધા
-ઈ-ટિકિટ માટે મોબાઈલવાન શરૂ કરાશે
-આગામી પાંચ વર્ષમાં તમામ માનવરહિત ક્રોસિંગ પર ફાટક લાગશે
-દિલ્હી, સકિંદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈમાં પાંચ સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરાશે
-કોમનવેલ્થ ગેમ્સમાં રેલવેની મુખ્ય ભાગીદારી રહેશે
-આગામી ૧૦ વર્ષમાં રેલવેના તમામ કર્મચારીઓને મકાન અપાશે
-રેલવેની જમીન પર ૫૨૨ હોસ્પિટલ અને ૬૦ શાળાઓ શરૂ કરાશે
-હોકર્સ અને પોર્ટસને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સમાવી લેવાશે
-આઈઆઈડી ખડગપુર ખાતે રેલવે રિસર્ચ સેન્ટર કાર્યરત થશે
-નવી જલપાઈગુડીમાં એકસેલ ફેકટરી શરૂ કરાશે
-સકિંદરાબાદ, વર્ધમાન, ગુવાહાટી, ભૂવનેશ્વર અને હિલ્દયામાં પાંચ વેગન ફેકટરી શરૂ કરાશે
-ખાનગી ઓપરેટરોને વિશેષ માલગાડીઓ દોડાવવા મંજૂરી
-૧૦ રેલવે ઈકોપાર્ક ઊભા કરાશે
-૬ હાઈસ્પીડ પેસેન્જર કોરિડોર માટે નેશનલ હાઈસ્પીડ રેલ ઓથોરિટી રચાશે
-અગરતલા અને બાંગ્લાદેશના અખૌરા સ્ટેશનને રેલવેથી જોડાશે
-સાદાઈ અપનાવી રૂપિયા ૨૦૦૦ કરોડની બચત
-યોજનાકીય મૂડીરોકાણ રૂ. ૧,૧૪૨ કરોડથી વધીને રૂ. ૪૧,૪૨૬ કરોડ
-મેટ્રો પ્રોજેકટસ માટે રૂ. ૧૦૦૦ કરોડ ખર્ચાશે
-વયસ્કો, બાળકો અને મહિલાઓને ટ્રેનમાં ચડવા-ઊતરવા માટે મદદનીશ
-કુલ ૬૪૦૧૫ કિમીનું રેલવે નેટવર્ક થશે
-ફિલ્મ ઉધોગ, પત્રકારો અને પત્રકારોના સંતાનોને ભાડાંમાં રાહત
-આવતા મહિને વેસ્ર્ટન કોરિડોર સમજૂતી પર હસ્તાક્ષર
-ખાનગીકરણ નહીં પણ નવું બિઝનેસ મોડેલ તૈયાર કરાશે
-રેલવેની પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાનો ઉપયોગ
કરાશે
-રેલવે ૮૦ હજાર નવા વેગન ખરીદશે
-મહિલાઓ માટે ‘માતૃભૂમિ’ નામથી વિશેષ ટ્રેન શરૂ કરાશે
-કેન્સરના દર્દીઓને થર્ડ એસીમાં મફત મુસાફરી
-આંદામાન અને નિકોબારના ટાપુઓ પર રેલવે શરૂ થશે
-જમીન ફાળવણીમાં જમીન ગુમાવનાર પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી
-રેલવે સ્ટેશનો પર આધુનિક શૌચાલયો બનાવાશે
-રેલવે રવિન્દ્રનાથ ટાગોરની સ્મૃતિમાં તેમના ૧૫૦મા જન્મદિન નિમિત્તે હાવરામાં રવિન્દ્ર મ્યુઝિયમ અને બોલપુરમાં ગીતાંજલી મ્યુઝિયમ શરૂ કરશે
-પૂર્વોત્તરમાં વિકાસ માટે માસ્ટર પ્લાન
-વધુ સુરક્ષા માટે મહિલા આરપીએફની બટાલિયન ઉપરાંત આરપીએફમાં ફેરફારો કરાશે
-રેલવે માટે ‘વિઝન-૨૦૨૦’ રજૂ કરાશે
Powered by : Divyabhaskar.co.in
No comments:
Post a Comment