Friday, January 15, 2010

ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ], કૃષ્ણ ઉપદેશ

ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ], કૃષ્ણ ઉપદેશ

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન (2) અર્જુન સાંભળો રે,
તમને કહું છું ગીતા જ્ઞાન (2) અર્જુન સાંભળો રે

આત્મા મરતો નથી અમર છે એવું સમજે તે જ્ઞાની છે
તે સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

સત કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધ થાય
તે કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે.

સતકર્મ સદા આચરીએ ફળ હરિને અર્પણ કરીએ
તે બ્રહ્માર્પણ કહેવાય અર્જુન સાંભળો રે

જેમ કમળ પત્ર પાણીમાં તેમ રહે છે આ દુનિયામાં
તે સન્યાસી કહેવાય અર્જુન સાંભળો રે

પોતે પોતાના ગુરૂ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ
તે સંયમી કહેવાય અર્જુન સાંભળો રે

વાસુદેવ સર્વવ્યાપક છે હજારોમાં કોક જાણે છે
તે વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે

આખા વિશ્વ તણો ક્ષય થાય, મારું ધામ અક્ષય કહેવાય
તે અક્ષરધામ કહેવાય અર્જુન સાંભળો રે

સરજુ પાળું ને સંહારું માટે ભજન કરો તમે મારું
તે રાજયોગ કહેવાય અર્જુન સાંભળો રે

હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
આ વિભૂતિ યોગ કહેવાય અર્જુન સાંભળો રે

અંતરની આંખો ખોલો મને સઘળે હવે તમે જોઈ લો
એ ભક્તિયોગ કહેવાય અર્જુન સાંભળો રે

દેહ પ્રકૃતિનો કહેવાય જીવ મારો અંશ કહેવાય
ક્ષેતક્ષેતજ્ઞ કહેવાય અર્જુન સાંભળો રે

જ્યારે ભેદ ભાવના જાયે ત્યારે સમાનતા આવે
તે નિર્ગુણાતિત કહેવાય અર્જુન સાંભળો રે

જગ વૃક્ષનું જે મૂળ છે જડ ચેતનથી ઉત્તમ છે
તે પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે

સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય
તે દેવાસુર કહેવાય અર્જુન સાંભળો રે

જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
તે શ્રદ્ધાતય કહેવાય અર્જુન સાંભળો રે

સઘળા ધર્મો છોડી દોને મારે શરણે તમે આવોને
મુક્ત સન્યાસી થઈને અર્જુન સાંભળો રે

ગીતામૃત પાન જે કરશેતેને જીવનમુક્તિ મળશે
શીવરામ થાશે જયકાર સૌ જન સાંભળો રે
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે


કવિશ્રી – શ્રી શીવરામ



POWERED BY : DHRUV DAMA

No comments:

Post a Comment