Padharo Mhare Desh..


શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, મુંબઈ  તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન - કરછ આપનું હાર્દિક સ્વાગત કરે  છે.

URGENT MESSAGE

Dear all,

Kindly note that Our www.nundhatad.org new design work is going on.

In the given site, there may be formating error.

All the pending details will be available in shortly.

You are requested to kindly bear with us.

Thanking you.


Search This Blog

PADHARO MHARE DESH

Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program

NUN GAURAV IMAGE DEMO

Sunday, November 23, 2008

એજ્યુકેશનલ લોનથી તમારાં સપનાંને સાકાર

ઘણીવાર આર્િથક કારણોસર યુવાનો પોતાનાં સપનાંને સાકાર કરી શકતા નથી પણ હવે સમય બદલાયો છે. તમારાં સપનાંને સાકાર કરવા સરકાર તમને સહાય કરવા તત્પર બની છે. ડિગ્રી અથવા ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં હવે લોન મળી શકશે.

જ્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીને કોઈ વ્યાજ ભરવાનું રહેતું નથી. આ માટે સરકારે ૪ કરોડની ફાળવણી કરી છે. ૧૧મી પંચવર્ષીય યોજના અંતર્ગત ર૦૧ર સુધીમાં સમાપ્ત થઈ રહેલી યોજના અંતર્ગત આ રકમની ફાળવણી કરવામાં આવનાર છે.

ભારતમાં શિક્ષણ : કોઈપણ જાતની ગેરન્ટી અથવા ર્માિજન મની ભર્યા વગર ૪ લાખ સુધીની એજ્યુકેશનલ લોન મળી શકશે. થર્ડ પાર્ટીની જામીનગીરી અને ગેરન્ટી પર ૪ થી સાત લાખ સુધીની લોન મળી શકશે. તે માટેની પાંચ ટકા ‘ર્માિજન મની’ તમારા સગાસંબંધી, મિત્ર અથવા પડોશીએ ભરપાઈ કરવાની રહેશે.

પરદેશમાં શિક્ષણ : ઉચ્ચ શિક્ષણ માટે પરદેશમાં જવા માટે તમને ઁહ્લ, ગ્દજીઝ્ર અથવા પ્રોપર્ટીની સામે ૭ લાખ રૃપિયા સુધીની લોન મળી શકશે. આ માટે તમારે ૧પ ટકા ર્માિજન મની ભરવાના રહેશે. બેન્ક તેમાંથી ૧પ ટકા લોનની રકમ ઓછી આપશે. કેન્દ્ર સરકાર બેન્ક અને બે ટકા સબસીડી આપશે.

જરૃરી દસ્તાવેજ :

(૧) છેલ્લી પરીક્ષાની માર્કશીટ

(૨) કોર્સમાં એડમિશન મળ્યાનું પ્રૂફ

(૩) કોર્સ દરમિયાન થનારા ખર્ચની ટૂંકમાં વિગતો

(૪) જો તમને સ્કોલરશિપ મંજૂર કરવામાં આવી હોય તો તેનો મંજૂરીનો પત્ર

(૫) ફોરેન એક્સચેન્જની પરમિટ. જરૃર હોય તો તેની નકલ આપવી.

(૬) બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ

(૭) વિદ્યાર્થી અથવા તેના વાલીના બેન્ક એકાઉન્ટ્સના ૬ માસના પત્રકો

(૮) આઈ.ટી. (ઈન્કમટેક્સ એસેસમેન્ટ ઓર્ડર)

(૯) કરજ લેનારની કુલ સંપત્તિ અને તેની જવાબદારીઓ.

સરકારની યોજના : સરકાર, આરબીઆઈ અને આઈબીએ સાથે સલાહ/ સૂચનો કરી એક યોજના તૈયાર કરી છે જેમાં તમામ પ્રકારનો અભ્યાસક્રમોનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

જેમાં પ્રોફેશનલ્સ અભ્યાસક્રમનો પણ સમાવેશ થાય છે.

આમ આ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ભારતમાં સાત લાખ અને વિદેશમાં અભ્યાસ માટે પંદર લાખની લોન મળી શકશે.

આ લોનની પરત ચૂકવણી માટે પાંચથી સાત વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે. ભણતર પૂરું થયા બાદ એક વર્ષનો ગ્રેસ પિરિયડ પણ આપવામાં આવ્યો છે. આ માટે યુજીસીએ ભલામણ કરેલ વિદ્યાર્થીઓને લોન માટે અગ્રતાક્રમ આપવામાં આવશે.

વ્યાજનો દર : સામાન્ય રીતે બધી જ રાષ્ટ્રિયકૃત બેન્કો અત્યારે ૧૧.પ વ્યાજ વસૂલ કરે છે.

આ લોન સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, પરીક્ષા અને લાઈબ્રેરી ફી, પુસ્તકો, વૈજ્ઞાનિક ઉપકરણો ખરીદવા, અભ્યાસ ટુર, પ્રોજેકટ વર્ક, થિસિસ વગેરે માટે આપવામાં આવશે. દરેક બેન્કના વ્યાજદરના અલગ અલગ પ્રકારના દર છે.

ખાનગી બેન્કની લોન : ઘણીવાર ખાનગી બેન્કમાંથી લોન લેવાનું સરળ બને છે પણ તેનો વ્યાજનો દર અને વસુલાતની કાર્યવાહી, પેનલ્ટી, દંડ અને દંડનીય વ્યાજની રકમના ચક્કરમાં ફસાઈ જતા લેને કે દેને પડી ન જાય તેની કાળજી રાખવી.

1 comment: